Showing posts with label Teacher. Show all posts
Showing posts with label Teacher. Show all posts

Wednesday, 20 November 2013

આપણી આજની જરૂરીયાતઃ રાષ્ટ્રીય શિક્ષણ…


            શિક્ષણ શબ્દ એ આજનાં યુગમાં બહુ સાંકડો અને સીમીત બની રહ્યો છે. આપણા બહુધા લોકોનાં મનમાં શિક્ષણની વ્યાખ્યા કંઇક આ પ્રમાણે છે. “શિક્ષણ એટલે શાળા-કોલેજમાં જઇને ડીગ્રી પ્રાપ્ત કરવા માટેની વ્યવસ્થા.” આજે આપણે કોઇપણ ને શિક્ષણનાં હેતુ વિશે પુછશું તો સો માંથી એંસી લોકો એવું કહેશે કે શિક્ષણનો હેતુ ભણી-ગણીને નોકરી મેળવવાનો છે. અને આમાંના મોટાભાગનાં લોકોને આ ‘ગણવું’ એટલે શું એ પણ ગતાગમ નથી. આજનું શિક્ષણ માત્ર ને માત્ર વ્યવસાયલક્ષી બની ગયું છે. જેને ખરા અર્થમાં જીવનની કેળવણી સાથે કશું જ લાગતું-વળગતું નથી. શિક્ષણનો ખરો અર્થ કેળવણી છે, કે જેનાથી વિદ્યાર્થીમાં શિક્ષણ, સદાચાર અને નૈતિકતાનુમ નિર્માણ થાય. જેના પરિણામે સમગ્ર સમાજ પણ નૈતિક અને ચરિત્રવાન બને.

        આપણા પ્રાચીન કાળમાં ઋષિમુનિઓનાં આશ્રમોમાં વિદ્યાર્થીનું ઘડતર થતું. આ આશ્રમ શાળાઓમાં વ્યવસાયલક્ષી શિક્ષણની સાથે સાથે વહેવારલક્ષી શિક્ષણ પણ આપવામાં આવતું. જેથી કરીને શિક્ષણ મેળવનાર બાળક સમાજમાં શ્રેષ્ઠ નાગરિક પુરવાર થાય અને તેનાં પરિણામે જ તે કાળમાં આપણો દેશ સમૃધ્ધિનાં ટોચ પર હતો. જેનાં કારણે વિશ્વમાં સૌપ્રથમ સુદઢ માનવીય સંસ્કૃતિનાં પગરણ ભારતવર્ષમાં મંડાયા હતાં. પરંતુ સમય જતાં હિન્દુસ્તાનમાં ધર્મનાં નામે બની બેઠેલા ઠેકેદારોએ જીવનલક્ષી રાષ્ટ્રિય શિક્ષણનાં સ્થાને પોતાનીએ દુકાનો પેઢી દર પેઢા ચલાવવા માટે ધાર્મિક શિક્ષણ શરૂ કરતાં ભારતે લગભગ ૨૦૦૦ વર્ષ સુધી વિદેશીઓની ગુલામી તળે રહેવું પડેલું. ત્યારબાદ એ સમય આવ્યો જેનાં માઠા ફળ આજેપણ આપણે ભોગવી રહ્યા છીએ.

        ભારતમાં પ્રવર્તમાન શિક્ષણમાળખાનો જન્મદાતા લોર્ડ મૈકલ છે. જેણે ભારત વર્ષને કાયમી ગુલામ રાખવા એક એકદમ સંકુચીત અને સ્વાર્થી શિક્ષણ જાતિનો પાયો નાખ્યોં. લોર્ડ મૈકલે પોતાના લંડન સ્થિત પિતાને લખેલા એક પત્ર મુજબ, ‘મને સંપુર્ણ વિશ્વાસ છે કે જો આપણી શિક્ષણની યોજના પ્રમાણે કામ થશે તો આજથી ત્રીસ વર્ષમાં બંગાળનાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એકપણ ‘ભારતિય’ નહીં રહે. અંગ્રેજોએ ઇ.સ. ૧૮૫૪માં એજ્યુકેશન ડિસ્પેચ લોર્ડ ડેલહાઉસીને મોકલાવ્યો હતો. તેમાં જણાવ્યા અનુસાર ‘આ શિક્ષણનો હેતુ વહીવટનાં દરેક ખાતા માટે આપણાં માટે વિશ્વાસુ અને હોંશીયાર નોકરો તૈયાર કરવાનો છે.’ અંગ્રેજી શિક્ષણ અને કેળવણીનાં ઉત્તેજન દ્વારા આપણે આપણી અસલ ભારતિયતા આજે ખોઇ બેઠા છીએ.

        અંગ્રેજો પાસેથી વારસામાં મળેલી શિક્ષણપ્રથાને કારને આપને જડનોકરશાહીની પરંપરા ઊભી કરી છે. આજે રાષ્ટ્રમાં ચોમેર વરસાદી દેડકાની જેમ શિક્ષણસંસ્થાઓ ફુટી રહી છે. જે વિદ્યાર્થીઓને જાત જાતની નવી નવી ડીગ્રીઓ વેચી રહી છે. આ ડીગ્રી મેળવીને ફુલાઇને ફાળકા બનેલા વિદ્યાર્થી જરે દહાડે ગુલામ માણસની ગર્તામાં ધકેલાઇને કોઇપણ પ્રકારની વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કર્યા વગર ગુમનામીનાં અંધારામાં પોતાનું જીવન પુરૂં કરે છે. સમાજ નિર્માણમાં આપણાં શિક્ષિત વ્યક્તિઓનો ફાળો હંમેશા શૂન્ય જ રહ્યો છે. ભારતવર્ષનાં નૈતિક પતનનું કારણ પણ આ જ આપણી શિક્ષણવ્યવસ્થા છે.

        આજે ભારતમાં આપણાં દેશમાં રાષ્ટ્રિય ચારિત્ર્ય કેળવાય એવા શિક્ષણની તાતી જરૂરીયાત છે. એ રાષ્ટ્રિય શિક્ષણનો જ પ્રતાપ છે જેનાં કારણે પ્રથમ વિશ્વયુધ્ધમાં માર ખાઇને બરબાદ થઇ ગયેલું જર્મની માત્ર દસ જ વર્ષનાં ગાળામાં બેઠું થઇને ફરીથી દુનિયામાં પોતાની ઓળખ પાછી મેળવી શક્યું. જર્મનીનાં દર-બ-દર ઠોકરો ખાતા લાખો બેરોજગાર યુવાનો રાષ્ટ્રિય શિક્ષણનાં પ્રતાપે જર્મનીને મજબુત બનાવવાનાં કામમાં ખૂંપી ગયા. જેણે મજબુત અને શક્તિશાળી જર્મનીનું નિર્માણ કર્યું.

        રાષ્ટ્રિય શિક્ષણનું ધ્યેય વ્યક્તિમાં નાગરિકતાનાં ગુણોનું સીંચન કરીને રાષ્ટ્રવાદનાં સંસ્કાર દ્વારા એક જવાબદાર નાગરિકનું સર્જન કરવાનું છે. પરિણામ સ્વરૂપ રાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી યુવાનોની ફોજ તૈયાર થતાં રાષ્ટ્ર વિકાસની અનેક નવી ક્ષિતિજો સર કરી શકે. આજે આપણાં દેશને પજવી રહેલાં કોમવાદ-પ્રદેશવાદ અને ભાષાવાદનો એકમાત્ર ઉપાય રાષ્ટ્રિય શિક્ષણ છે. ભારતનાં દરેક યુવાનને, વિદ્યાર્થીને ભારતનું બંધારણ શું છે એની ખબર હોવી જોઇએ. રાષ્ટ્ર પ્રત્યે પોતાની મુળભૂત ફરજો અને હક્કો પ્રત્યે સજાગ હોવો જોઇએ. જ્યાં સુધી આપણને આપણા બંધારણ દ્વારા ક્યાં-ક્યાં હક્કો આપવામાં આવ્યા છે તથા રાષ્ટ્ર પ્રત્યે આપની ફરજો કઇ-કઇ છે તે જ્ઞાન ન મળે ત્યાં સુધી બાકીની બધી જ વ્યવસ્થા નકામી છે. મદરેસાઓ અને ધાર્મિક સંસ્થાઓમાં શિક્ષણ મેળવીને સંકુચીત અને રૂઢિચુસ્ત બનતો વિદ્યાર્થી ક્યારેય પણ એક સુદઢ રાષ્ટ્રનાં નિર્માણમાં પોતાનો ફાળો ન આપી શકે.


        આપણાં રાષ્ટ્રનાં વિકાસ માટે તથા આપણી ભાવી પેઢીની સલામતી અને સુખાકારી માટે રાષ્ટ્રિય શિક્ષણ અનિવાર્ય આવશ્યકતા છે. કોઇપણ રાષ્ટ્ર માટે તેનાં દેશનું રાષ્ટ્રિય ચારિત્ર્ય અત્યંત મહત્વની બાબત છે. કારણ કે રાષ્ટ્રની સુખ-શાંતિ તથા સમૃધ્ધિ અને શક્તિ માટે આ જરૂરી છે. હવે રાષ્ટ્રિય ચારિત્ર્યનું નિર્માણ કરવા માટે અત્યંત ઉચ્ચ ગુણવત્તા ધરાવતું શિક્ષણ હોવું એક અનિવાર્ય બાબત છે. શિક્ષિત સમાજ જ દેશને ઉચ્ચ પ્રકારની નેતાગીરી આપી શકે અને દેશનુમ વિવિધ ક્ષેત્રોમાનું તેજસ્વી બુધ્ધિધન જ દેશની પ્રગતિ માટે જવાબદાર બની શકે માટે રાષ્ટ્રિય શિક્ષણનું અત્યંત મહત્વ છે. કોઇપણ યુવાશક્તિને કેળવવા તેને યોગ્ય દિશા આપવા માટે રાષ્ટ્રિય શિક્ષણ આપવું એ એક પાયાની બાબત છે. રાષ્ટ્રિય શિક્ષણ એટલે યુવા-ધનનો અથવા તો જે તે દેશનાં નાગરિકોનો સામાજીક-બૌધિક તથા આર્થિક વિકાસ. આ બાબતને સિધ્ધ કરવા માટે રાષ્ટ્ર દ્વારા એક સ્વાયત્ત એવુમ તથા તમામ પ્રકારની રાજકીય ખટપટથી મુક્ત હોય એવા નોલેજ કમીશનની સ્થાપના કરીને દેશની તમામ યુવાશક્તિને રાષ્ટ્રિય શિક્ષણ મળી રહે તેની યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ. 

Thursday, 5 September 2013

શિક્ષક દિન : 5th September every year...!


“शिक्षक कभी साधारण नहीं होता,
प्रलय और निर्माण उसकी गोदमें पलते हैं…”

        શિક્ષક… શિક્ષા કરે એનું નામ શિક્ષક. પહેલા એ વાતનો ખુલાસો અહીં જરૂરી બને છે આજે અને ખાસમખાસ આ વિષય પર લખતાં પહેલાં. કે જો કોઇને મારો લેખ વાંચતા એવું લાગે કે હું જરા શિક્ષકો તરફી પક્ષપાતી બની રહ્યો છું તો મને આંગળી ચીંધે. રહી વાત પક્ષપાતની તો વાત જાણે એમ છે મિત્રો કે છેવટે હું પણ લોહી તો માસ્તરનું જ છું. હાં! મારા માતા-પિતા બંને શિક્ષક છે, હતાં કહી શકાય. હવે એક નિવૃત્ત છે. એટલે થોડો શિક્ષક તરફી જોક રહે ઇતના તો બનતા હૈં ના બોસ!

        હાં! તો મૂળ વાત પર આવીએ. શિક્ષક અને શિક્ષક દિન. શિક્ષક દિન ખાસ તો આ ક્ષેત્રમાં નોંધપાત્ર સિધ્ધિ મેળવનારને કે અનુદાન કરનારને બિરદાવવાનો દિવસ છે. આમે આપણાં સમાજમાં, આપણી સંસ્કૃતિમાં અને આપણાં શાસ્ત્રોમાં ગુરૂ કે શિક્ષકને ઇશ્વર સમાન કે તેનાંથી પણ ઉપર ગણ્યા છે.

“गुरू गोविंद दोनों खडे, के को लागु पाय?
बलीहारी गुरू आपकी, गोविंद दियो दिखाय…”

        આ લખનારને નાનપણથી જ એમ શીખવવામાં આવેલું, કે દુનિયામાં સૌથી વધુ જો પુજનીય હોય તો તે છે આપણી મા. પછી પિતા. પછી ગુરૂ અને છેલ્લે ઇશ્વર. મિત્રો માતા-પિતા આપણને જન્મ આપે છે, ઉછેરે છે. પણ જીવન જીવતા અને જીવનમાં આગળ વધતાં તો ગુરૂ જ શીખવે. જીવનમાં આવનારી મુશ્કેલીઓનો સામનો કેમ કરવો, તે મુશ્કેલીઓ પર વિજય કેમ મેળવવો, કઇ રીતે પોતાનાથી નિર્બળનો ઉપહાસ અને પોતાનાથી સબળનો નિરાદાર ક્યારેય ન કરવો… આ બધી વાત ગુરૂ જ આપણને શીખવે છે. ફિલ્મ (યાર! આટલી તો લીબર્ટી મને આપવી જ પડશે. મારી કોઇ વાત ફિલ્મથી પરે નથી. એટલે એ તો વચ્ચે આવવાની જ.) ‘દો દૂની ચાર’ નો પોપલી હલવાઇ યાદ આવે છે? એ ખુબ સરસ વાત કરે છે, કે “માસ્ટર હમતો મિઠાઇયાં બનાતે હૈ, ખાયા-પીયા ઔર ખતમ. લેકીન તુમ બનાતે હો ઇન્સાન. અગર થોડી ચુક હો જાયે તો ઉસે ગુડ બોય મેં સે બેડ બોય બનતે દેર નહીં લગતી. અગર મેરે કો ભી તુમ જૈસા માસ્ટર મીલા હોતા તો મૈં ભી આજ ગુડ બોય હોતા ઔર ઇન કંજરો કો ભી બનાતા.” દોસ્તો, વાત સામાન્ય લાગે એવી છે. પણ છે ખુબ ઊંડી. આજે પણ જ્યારે તમે કે હું આપણે જેને ખરા દિલથી ગુરૂ માન્યા હોય તેની વાત આવતાં કે તે સામે મળતા માથું આપોઆપ જુકી જાય. આ બીક નથી, આ આદર છે.

        દોસ્તો, અતિષ્યોક્તિ લાગે તો માફ કરજો. પણ મેં તો આ અનુભવેલી વાત કહું છું. મારા સ્વ. પિતા એક નિષ્ઠાવાન શિક્ષક હતાં. તે સ્કુલમાં જ એટલું ભણાવતાં કે વિદ્યાર્થીને ટ્યુશનની જરૂર જ ન પડતી. આજે પણ તેનાં મૃત્યુનાં ૨૫ વર્ષ થઇ ગયા હોવાં છતાં પણ જ્યારે તેમનાં ભણાવેલા વિદ્યાર્થીઓ જે આજે ખુબ મોટા બિઝનેસમેન કે વેપારી કે સરકારી સારામાં સારા હોદ્દા પર છે તેમને જ્યારે મળવાનું થાય અને મારા પિતાનો ઉલ્લેખ થતાં માત્ર જ એક આદર સાથે વિનમ્રતા આવી જાય છે. જ્યારે એમ સાંભળવા મળે ને કે તારા પપ્પાએ મને ઠોઠ વિદ્યાર્થીમાંથી હોંશીયાર બનાવ્યો અને આજે જો એની મહેનતનું પરિણામ. ત્યારે તેની આંખમાં તો આંસુ હોય પણ મારા ચહેરા પર એક ગર્વની લાગણી હોય. મિત્રો, મા-બાપ પછી જીવનમાં ગુરૂનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે. અરે ખુદ ભગવાન એનાં પગે પડતાં હોય તો હું અને તમે શું?

        શાસ્ત્રો ખોલીને જોઇ લો, ગુરૂની આજ્ઞા પર રાજપાટ છોડી દેનાર ભગવાન રામનો ઉલ્લેખ છે, ગુરૂની આજ્ઞા વશ ત્રિલોકનાં નાથ એવા ભગવાન વિષ્ણુ, કૃષ્ણવતારમાં જંગલમાં લાકડા વિણે છે. ગુરૂની ઊંઘને વિક્ષેપ ન પહોંચે એ સહેતુ મહાબલી – દાનવીર કર્ણ ભમરાનાં અસહ્ય ડંખ સહી જાય છે. ગુરૂની આજ્ઞાને આધિન થઇ એકલવ્ય પોતાનો અંગૂઠો કાપી નાંખે છે. રાક્ષસો કે જેઓ કોઇનાં કહ્યામાં નહોતાં તે ગુરૂ શુક્રાચાર્યની સામે નરમઘેંશ જેવા થઇ જાય છે તેનો પડ્યો બોલ તેની આજ્ઞાને આધીન થઇને રહે છે.

સિકંદરની એક વાત યાદ આવે છે. એક વખત સિકંદર અને તેના ગુરુ એરિસ્ટોટલ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં વરસાદના પાણીનો વહેળો આવ્યો. એરિસ્ટોટલ અને સિકંદરમાં એ વાતે વિવાદ થયો કે પહેલા વહેળો કોણ પાર કરશે? સિકંદરે નક્કી કર્યું કે પહેલાં તે વહેળો ઓળંગશે. એરિસ્ટોટલે સિકંદરની વાત માની લીધી. પણ પછી થોડા દુ:ખી થઈને એમણે કહ્યું, ‘તેં મારી આજ્ઞાનું પાલન ના કર્યું.’ સિકંદરે જવાબ આપતા કહ્યું, ‘ગુરુજી, મારી કર્તવ્યનિષ્ઠાએ જ મને એમ કરવા માટે પ્રેરણા આપી. એરિસ્ટોટલ હજારો સિકંદર તૈયાર કરી શકશે, પણ સિકંદર તો એક પણ એરિસ્ટોટલ તૈયાર નહીં કરી શકે.

        દરેક વ્યક્તિનાં ઘડતરમાં બે વ્યક્તિનો ખુબ મોટો ફાળો હોય છે, એક છે માતા-પિતા અને બીજા ગુરૂ. અગાઉ કહ્યું એમ માતા-પિતા તેની ફરજ મુજબ આપણને ઉછેરે છે. આદર્શ શિક્ષક આપણને જીવનમાં આગળ વધવા માટેનું પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પુરૂં પાડે છે. વર્ગખંડમાં એક શિક્ષકની ભૂમિકા ખુબ જ મહત્વનું કાર્ય છે., કારણ કે તેની એકએક પળ વિદ્યાર્થીનાં જીવન સાથે જોડાયેલી હોય છે. દરેક વિદ્યાર્થીનું ભવિષ્ય શિક્ષકનાં હાથમાં રહેલું હોય છે. એક આદર્શ શિક્ષક વિદ્યાર્થીનાં ઉમદા જીવનનો પ્રણેતા બની શકે છે. તેનાં જીવનનું ધ્યેય અને તે ધ્યેય સુધી પહોચવાનો માર્ગ બની શકે છે. સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય છે શિક્ષકનો. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે. તે ઇમારતનો એક પાયો છે. એ પાયાને મજબૂત કરવાનું કામ એક શિક્ષક કરે છે. તેઓ ઇમારતનું એવું પાકુ ચણતર કરે છે કે ગમે એવો ઝંઝાવાત આવે તો પણ એ ડગે નહીં.

        શિક્ષકદિનનાં દિવસે શ્રેષ્ઠ શિક્ષકને રાષ્ટ્રપતિનાં હસ્તે સન્માનિત કરવામાં આવે છે. આ દિવસે શાળાઓમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી પણ કરવામાં આવે છે. જેના અંતર્ગત વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનીને વર્ગમાં અભ્યાસ કરાવે છે. જેનાંથી વિદ્યાર્થીઓમાં નાનપણથીજ નેતૃત્વનાં ગુણ ખીલે છે. તેમજ વિદ્યાર્થીઓ શિક્ષકોનાં ઉત્તરદાયિત્વને સમજે અને જાણે કે શિક્ષક થવું કેવું અઘરૂં છે. આમ, સંસ્કૃતિનાં સંસ્કાર આપતાં શિક્ષકોનું ગરવું પર્વ એટલે ‘શિક્ષક દિન’.

                        ૫ સપ્ટેમ્બર એટલે ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં શિક્ષક દિન તરીકે ઊજવાય છે. મિત્રો તમારા માનસપટ પર કોઈ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની અમીટ છાપ છોડી જાય છે. તેને તમે જિંદગીભર ભૂંસી નથી શકતા. આવા શિક્ષકો પ્રત્યે તમારો આદરભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ છે ‘શિક્ષક દિન’.

        ગુરૂનો મહિમા ગાતા શ્રી વિનોબા ભાવે લખે છે કે, ‘શિલવાન સાધુ હોય છે, પ્રજ્ઞાવાન જ્ઞાની હોય છે અને કરૂણાવાન મા હોય છે, પરંતુ ગુરૂ તો સાધુ, જ્ઞાની અને મા ત્રણેય હોય છે. ગુરૂ શબ્દનો ભાવાર્થા મારી દ્રષ્ટિએ કરૂં તો, ગુઃ એટલે ગુણવાન અને રૂઃ એટલે ઋષિ. તો ગુઋનો અર્થ થયો ગુણવાન ઋષિ.

चंदनम् शितलम् लोके, चंदनात् अपि चंद्रमा,
चंद्र – चंदनयोः मध्ये, शीतला गुरू संगतिः
(અર્થાતઃ આ જગતમાં ચંદન શીતળ છે, ચંદન કરતાં ચંદ્રની ચાંદની વધુ શીતળતા આપે,
ચંદન અને ચંદ્રમાંની ચાંદની કરતાં પણ ગુરૂની સંગતિ વધુ શીતળતા આપે છે.)

गुरू ब्रह्मा, गुरू विष्णु, गुरू देवो महेश्वर,
गुरू साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवै नमः

ગુરૂ વિણ જ્ઞાન ન ઉપજે, ગુરૂ વિણ મળે ન ભેદ,
ગુરૂ વિણ સંશય ના ટળે, જય જય જય ગુરૂદેવ.

गुरू कुंभार और शिष्य कुंभ है, घट घट काढे खोट,
ભીતરથી ભલે હાથ પસારે, ઉપર મારે ચોટ.

सदगुरू ऐसा किजीए, जैसे पुनम को चंद्र,
तेज करे पर तपे नहीं, उपजावे अति आनंद…


આવો આ દિવસે સહુ સહુનાં ગુરૂને યાદને કરીએ અને વંદન કરીએ. કારણ કે આજે આપણે જે કંઇ સફળ છીએ એમાં આપણાં ગુરૂની શિક્ષકની જહેમત છે.